દોસ્તો આ પોસ્ટમાં આપણે વાત કરીશું એવા પાંચ કામ વિશે જે તમારે 31 march 2025 પહેલા પતાવી લેવાના છે કેમકે જો તમે 31 માર્ચ પહેલા કામ નહીં પતાવો તો એ કામ કરવાની ફરી તમને તક નહીં મળે તો એવા કયા પાંચ કામ છે જેને કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે ચલો આપણે જાણીએ.
Complete these five tasks before 31 march 2025
આ પાંચ કામ 31 માર્ચ 2025 પેલા પતાવી લેજો.
1.પહેલું એ કામ છે અપડેટેડ ITR રિટર્ન ફાઇલ કરવાનું
કલમ ૧૩૯(૮) હેઠળ બજેટ ૨૦૨૨માં અપડેટેડ રિટર્ન રજૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, સરકારે કરદાતાઓને વિકલ્પ આપ્યો છે કે તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં તેમના અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે.
આનો હેતુ કરદાતાઓને એક તક આપવાનો છે કે જો તેમણે ITR ફાઇલ કર્યું નથી અથવા કેટલાક અપડેટ્સ છે, તો તેઓ અપડેટેડ રિટર્ન ફાઇલ કરે. જે લોકો આ વર્ષે અપડેટેડ ITR ફાઇલ કરવા માંગે છે, તેમના માટે છેલ્લી તારીખ 31 માર્ચ, 2025 છે.
ક્લિક કરો – મેળવો આ ગરમીમાં એકદમ વ્યાજબી ભાવમાં કુલર
2.બીજું કામ છે જો તમે કોઈ રોકાણ કરવા માંગતા હોય
જો તમે પણ આવકવેરો બચાવવા માટે કંઈક રોકાણ કરવા માંગો છો, તો તમારી પાસે 31 માર્ચ, 2025 સુધીનો સમય છે.
નાણાકીય વર્ષ 2024-25 માટે ITR ફાઇલ કરતી વખતે, તમને ફક્ત તે જ રોકાણોનો લાભ મળશે જે 31 march 2025 સુધી કરવામાં આવશે. તે પછી, જો તમે કોઈ રોકાણ કરો છો, તો તમને તેનો લાભ આગામી નાણાકીય વર્ષ એટલે કે 2025-26 ના ITR માં મળશે
3.ત્રીજું કામ છે રેશનકાર્ડમાં ekyc કરવાનું
કેન્દ્ર સરકાર પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને જાહેર વિતરણ વ્યવસ્થાના દુરુપયોગને રોકવા માટે તમામ રેશનકાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત છે. અંતિમ તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૫ છે.
4.ચોથું કામ છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ માં ફોર્મ ભરવાનું
જો તમે ધોરણ 10 પાસ 12 પાસ છો કે ગ્રેજ્યુએશન કરેલું છે જો તમે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર જોડાઈને બાર મહિનાની ઇન્ટર્નશિપ કરવા માંગો છો અને મોટી મોટી કંપનીઓમાં કામ કરીને અનુભવ મેળવવા માંગો છો તો પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે
5.પાંચમું કામ છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરવાનું
જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તારમાં રહો છો અને નવું મકાન બનાવી રહ્યા છો. નવું મકાન ખરીદી રહ્યા છો અને સબસીડી ના ફાયદો મેળવવા માંગતા હોય તો
તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઇન સર્વે એટલે કે ઓનલાઇન ફોર્મ ભરીને સબસીડી ના ફાયદો મેળવી શકો છો એટલે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે
તો દોસ્તો આ ઉપરના અમુક પાંચ કામો જે હતા જે કામ કરવાની છેલ્લી તારીખ સરકાર દ્વારા 31 માર્ચ 2025 રાખવામાં આવી છે એટલે ઉપર મેં જે તમને માહિતી આપી કામ વિશે એમાં જો કોઈ તમે કામ કરવા માંગતા હોય તો તમારે એ કામ 31 માર્ચ 2025 પહેલાં પતાવી લેવાનું છે
તો આ પોસ્ટ તમને કેવી લાગી કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ પર બીજી પણ પોસ્ટ મેં લખેલી છે જે જોઈને તમે માહિતી મેળવી શકો છો.